કેસર
કેસર નામ ખુબ સરસ છે , ગમે તેવું છે , ખુબ શાંતિ આપે તેવુ છે આ નામની કોઇ વ્યક્તિ પણ હોઇ શકે અને વનસ્પતિ છોડ તો તે છેજ..
કેસરના છોડ પર વર્ષમાં એક કે બે અઠવાડિયા સુધી જ [ નવેમ્બરમાં ]ફૂલો ખીલે
છે અને આ ગાળા દરમ્યાન તે ફૂલોને એકત્ર કરી લેવાનાં હોય છે અને તેમાથી
કેસરના સ્ટીગ્મા [ દોરા , થ્રેડ ] અલગ કરવાના હોય છે. આ દોરા તે કેસર
કહેવાય છે.શ્રીનગરથી 13 કી.મી.દૂર પેમ્પોર નામનુ સ્થળ કેસર ઉત્પાદન માટે
ખુબ વિખ્યાત છે[ તે ' સેફ્રન ટાઉન ' તરીકે પણ ઓળખાય છે.] હાલમાં કાશ્મીરમાં
કેસરનુ એકત્રિકરણ પુરબહારમાં ચાલી રહ્યું છે તે તસ્વીરમાં જોઇ શકાય છે. અમારા મિત્ર ઓમપ્રકાશ વિદ્યાર્થીજી [ Director Ecology ,Environment & Remote Sensing ,J&K Government at Srinagar, Jammu and Kashmir અને APCCF central in PCCF office J&K at j&k forest deptt.] એ કાશ્મીરમાં કેસર ઉત્પાદનની કેટલીક તસ્વીરો મોકલી છે.તસ્વીરમાં ઓમ પ્રકાશ વિદ્યાર્થીજીને પણ જોઇ શકાય છે
1.ચામડીનાં દર્દો મટાડનાર અકસીર ઔષધિ – કુંવાડિયો
પરિચય
ગુજરાત
તથા ભારતમાં ચોમાસા પછી જંગલ, ખેતર, મેદાનો કે ખંડેરમાં આપમેળે થતો, એક વર્ષાયુ
છોડ ‘કુંવાડિયો‘ (ચક્રમર્દ, ચકવડ/પવાડ)
૨ થી ૫ ફુટ ઊંચો, અલ્પ કડવી ગંધવાળો હોય
છે. તેમાં પાન સંયુક્ત, ૫ પ્રદંડ બે ગાંઠવાળા, પાન ૩-૩ની જોડમાં, ઉપરથી ગોળાકાર, ચીકણાં, ચમકતા પોપટી કે લીલારંગના, મેથીના
પાન જેવા થાય છે. તેની પર પીળા રંગના ફૂલ આવે છે અને શિયાળામાં છ ઈંચ લાંબી, ચોખંડી, જરા
વળેલી, પાતળી
અને અણીદાર શીંગો થાય છે. તે શીંગમાં મેથીના દાણા જેવડા, વેલણ
જેવા ૨૦-૩૦ બીજ હોય છે. પાન, તેની છાલ અને બીજ દવામાં વપરાય છે.
ગુણધર્મો
કુંવાડિયાનો સ્વાદ કડવો, ખારો – મીઠો ; ગુણમાં હળવો, ઠંડો, લૂખો, દેહકાંતિ તથા કોમળતા વધારનાર અને ચળ, ખસ, ખરજવું, કોઢ, શીળસ જેવા ત્વચાનાં દર્દો; વાયુ, પિત્ત-કફ, દમ, ખાંસી, વિષ, સોજો, ગોળો, કૃમિ, શ્વાસ, વાતરક્ત (ગાઉટ) જેવા દર્દો મટાડે છે. કુંવાડિયાનાં બીજ ગરમ, તીખા, લૂખા, ઉષ્ણવીર્ય, સંકોચક, વાયુની સવળી ગતિકર્તા, કફ દોષ બહાર કાઢનાર, પાચક અને ભૂખવર્ધક, બળ દેનાર, અને ત્વચાનાં દર્દો, મેદસ્વિતા, કૃમિ, વિષ, લકવા, અડદિયો વા, વાયુનાં દર્દો, કબજિયાત, ગોળો, હરસ, લોહી વિકાર, ખાંસી, શ્વાસ તથા હ્રદયરોગ મટાડે છે.
કુંવાડિયો ચામડીના તમામ દર્દોમાં ઉત્તમ લાભ કરે છે
ઔષધિ પ્રયોગ
(૧) ખસ-ખરજવું, દાદર, ચળ : કુંવાડિયાના બીજ ૧૦ ગ્રામ, કપીલા ૧૦ ગ્રામ અને ગંધક ૨૦ ગ્રામનું ચૂર્ણ કરી,
તેને લીંબુના રસનો પુટ આપી, તેમાં વેસેલીન મેળવી, મલમ બનાવી વાપરવો.
(૨) ચરબી-ફેટવાળો ડહોળો પેશાબ : કુંવાડિયાના મૂળનો ઉકાળો કરી, બે વાર પીવો.
(૩) બદ ગાંઠ ફોડવા : પાનની લુગદી ગરમ કરી, ગાંઠ પર પોટીસ મૂકવી.
(૪) શીળસ : કુંવાડિયાના બીજ કે મૂળનું ચૂર્ણ ઘીમાં ચાટવું.
(૫) આખા શરીરે સોજા : કુંવાડિયાના પાનનો ઉકાળો કરી, સવાર-સાંજ પીવો તથા તેનાં પાનની ભાજી બનાવી ખાવી.
(૬) લોહી વિકાર : કુંવાડિયાનાં બી શેકીને તેનો પાઉડર (કૉફી રૂપે) ઉકાળો કરી રોજ બે વાર પીવો, ખૂબ લાભપ્રદ છે.
(૭) દાદર-ખરજવું : કુંવાડિયાનાં બી, બાવચીનાં બી, ગંધક, સિંદૂર અને ફૂલાવેલ ટંકણખારનું બારીક ચૂર્ણ કરી, તેમાં લીંબોળીનું અથવા સરસિયું તેલ મેળવી, મલમ બનાવી વાપરવો. ખરજવા પર કુંવાડિયાનાં મૂળ પાણી કે ગોમૂત્રમાં ઘસીને લગાવવું.
(૮) ગરમીનો તાવ : કુંવાડિયાના મૂળનું ચૂર્ણ ૨ થી ૫ ગ્રામ જેટલું દિનમાં ૩ વાર ઠંડા પાણી સાથે લેવાથી, ગરમી (પિત્ત) નો તાવ, હાથ પગનાં તળિયાં ગરમ રહેવા, ઠંડીમાં શરીરમાં ગરમી જણાવી અને આંખોની બળતરા મટે છે.
(૯) કૃમિ-શ્વાસ, કફ : કુંવાડિયાના પાનની ભાજી બનાવીને રોજ ખાવી.
(૧૦) બાળકોને દાંતની પીડા : કુંવાડિયાનાં પાનની ચા (ઉકાળો) બનાવી, મધ કે ગોળ ઉમેરી પાવી.
(૩) બદ ગાંઠ ફોડવા : પાનની લુગદી ગરમ કરી, ગાંઠ પર પોટીસ મૂકવી.
(૪) શીળસ : કુંવાડિયાના બીજ કે મૂળનું ચૂર્ણ ઘીમાં ચાટવું.
(૫) આખા શરીરે સોજા : કુંવાડિયાના પાનનો ઉકાળો કરી, સવાર-સાંજ પીવો તથા તેનાં પાનની ભાજી બનાવી ખાવી.
(૬) લોહી વિકાર : કુંવાડિયાનાં બી શેકીને તેનો પાઉડર (કૉફી રૂપે) ઉકાળો કરી રોજ બે વાર પીવો, ખૂબ લાભપ્રદ છે.
(૭) દાદર-ખરજવું : કુંવાડિયાનાં બી, બાવચીનાં બી, ગંધક, સિંદૂર અને ફૂલાવેલ ટંકણખારનું બારીક ચૂર્ણ કરી, તેમાં લીંબોળીનું અથવા સરસિયું તેલ મેળવી, મલમ બનાવી વાપરવો. ખરજવા પર કુંવાડિયાનાં મૂળ પાણી કે ગોમૂત્રમાં ઘસીને લગાવવું.
(૮) ગરમીનો તાવ : કુંવાડિયાના મૂળનું ચૂર્ણ ૨ થી ૫ ગ્રામ જેટલું દિનમાં ૩ વાર ઠંડા પાણી સાથે લેવાથી, ગરમી (પિત્ત) નો તાવ, હાથ પગનાં તળિયાં ગરમ રહેવા, ઠંડીમાં શરીરમાં ગરમી જણાવી અને આંખોની બળતરા મટે છે.
(૯) કૃમિ-શ્વાસ, કફ : કુંવાડિયાના પાનની ભાજી બનાવીને રોજ ખાવી.
(૧૦) બાળકોને દાંતની પીડા : કુંવાડિયાનાં પાનની ચા (ઉકાળો) બનાવી, મધ કે ગોળ ઉમેરી પાવી.
2. કબજિયાત, કફ તથા પેશાબની ઔષધિ – અળસી
પરિચય
અળસી કે અળશી (અતસી, અલસી)નાં છોડ ગુજરાત – ભારતમાં સર્વત્ર
થાય છે. આ છોડ દોઢ બે ફુટ ઊંચો, સીધો અને નાજુક હોય છે. એની ઊભી સળીઓ
પર બારીક, લાંબા અને એક એકનાં આંતરે ૧ થી ૩ ઇંચ લાંબા ઘાસ જેવાં પાન થાય
છે. તેની પર આસમાની રંગના ટોકરા આકારનાં, ચક્રાકારનાં
સુંદર પુષ્પો આવે છે. એની પર ગોળ દડા જેવા ૧૦ ખાનાવાળાં ફળ થાય છે. તે દરેક ખાનામાં ૧-૧ ચકચક્તિ, ચીકણા, ચીપટા, જરા લાંબા, અંડાકાર, ગંધરહિત, તેલી, ભૂખરાં? રંગનાં બી થાય છે. બીમાં પીળાશ પડતા
સફેદ રંગનો ગર્ભ (મગજ) થાય છે. તેને પીલીને તેનું તેલ કઢાય છે. જે રંગરોગાનમાં અને દવામાં ખાસ વપરાય છે.
ન્યૂમોનિયામાં – છાતીમાં કફના ભરાવામાં છાતી ઉપર અળસીનો
લેપ ખાસ વપરાય છે. અળસીનાં બીજ, તેલ, પાન, ફૂલ ખાસ દવારૂપે વધુ વપરાય છે.
ગુણધર્મો
અળસી મધુર, કડવી, તીખી; સ્નિગ્ધ, બળકારક, ભારે, વાતદોષ તથા કફદોષ નાશક, ગરમ અને દ્રષ્ટિદોષ, વીર્યરોગ, પીઠનું શૂળ અને પિત્તનો નાશ કરે છે. તેનાં બી મધુર, સ્નિગ્ધ, ઉષ્ણવીર્ય, બળકારક, કામોદ્દીપક, થોડી માત્રામાં મૂત્રલ અને સોજો મટાડનાર છે. મોટી માત્રામાં તે રેચક, વાતનાશક, વાતરક્ત (ગાઉટ), કોઢ તથા વ્રણનાશક છે. અળસીનું તેલ મધુર, ચીકણું, વાયુનાશક, બળવર્ધક, ગરમ, કફ, ખાંસી અને ત્વચા અને હ્રદય માટે હિતકર છે. ગાંધીને ત્યાં તેનાં બીજ તથા અળસીનું તેલ વેચાય છે.
ઔષધિ પ્રયોગ
ે ૧
શીશીમાં લઈ, ખૂબ હલાવવાથી, સફેદ લોશન થશે. તે દાઝવા પર રોજ લગાવવાથી દાઝ્યાના
જખમ-પીડા દૂર થશે.
(૨) કબજિયાત : અળસીનું પેલ ૧૦ થી ૨૦ મિ. લિ. જેટલું દૂધ સાથે પીવાથી જૂનો ગંઠાયેલો મળ પણ બહાર આવે છે.
(૩) આંતરડાની નબળાઈ તથા હરસ : રોજ ૧ – ૧ ચમચી અળસીનું તેલનું દૂધમાં લેવું.
(૪) સોજો : અળસીના બીને વાટી, તેની પોટીસ બનાવી લગાવવું.
(૫) ફેફસાંનો સોજો : છાતીમાં કફનો ભરાવો-હાંફ : ગરમ ઉકળતા થોડા પાણીમાં અળસીનો લોટ ધીમે ધીમે નાંખતા જઈ, ઘટ્ટ લોપરી જેવું કરો. પછી તેને એક જાડા કપડા ઉપર તવેથા વડે પાથરી, જરા ગરમ ગરમ દર્દીની છાતી ઉપર પ્રથમ થોડું તેલ ચોપડીને, તે પટ્ટી લગાવી દો : (આ એન્ટીફલોજીસ્ટીન લેપ છે )
(૬) મૂત્રદાહ : ૩ ચમચી અળસી – બીને કૂટી, તેને ૫૦૦ ગ્રામ પાણીમાં ૧૦ મિનિટ ઉકાળી, ઉતારીને ગાળી, તેમાં સાકર નાંખી પીવું. આ ‘અળસીની ચા‘ મરડો, કફનો ભરાવો, પેશાબની છૂટ ન થવી વગેરેમાં પણ લાભ કરે છે.
(૭) અનિંદ્રા : અળસીનું તેલ તથા દિવેલ કાંસાની થાળીમાં મૂકી, કાંસાની વાટકી વડે ખૂબ ઘૂંટવું. પછી તે
(૨) કબજિયાત : અળસીનું પેલ ૧૦ થી ૨૦ મિ. લિ. જેટલું દૂધ સાથે પીવાથી જૂનો ગંઠાયેલો મળ પણ બહાર આવે છે.
(૩) આંતરડાની નબળાઈ તથા હરસ : રોજ ૧ – ૧ ચમચી અળસીનું તેલનું દૂધમાં લેવું.
(૪) સોજો : અળસીના બીને વાટી, તેની પોટીસ બનાવી લગાવવું.
(૫) ફેફસાંનો સોજો : છાતીમાં કફનો ભરાવો-હાંફ : ગરમ ઉકળતા થોડા પાણીમાં અળસીનો લોટ ધીમે ધીમે નાંખતા જઈ, ઘટ્ટ લોપરી જેવું કરો. પછી તેને એક જાડા કપડા ઉપર તવેથા વડે પાથરી, જરા ગરમ ગરમ દર્દીની છાતી ઉપર પ્રથમ થોડું તેલ ચોપડીને, તે પટ્ટી લગાવી દો : (આ એન્ટીફલોજીસ્ટીન લેપ છે )
(૬) મૂત્રદાહ : ૩ ચમચી અળસી – બીને કૂટી, તેને ૫૦૦ ગ્રામ પાણીમાં ૧૦ મિનિટ ઉકાળી, ઉતારીને ગાળી, તેમાં સાકર નાંખી પીવું. આ ‘અળસીની ચા‘ મરડો, કફનો ભરાવો, પેશાબની છૂટ ન થવી વગેરેમાં પણ લાભ કરે છે.
(૭) અનિંદ્રા : અળસીનું તેલ તથા દિવેલ કાંસાની થાળીમાં મૂકી, કાંસાની વાટકી વડે ખૂબ ઘૂંટવું. પછી તે
આંખમાં આંજવાથી ઉત્તમ નિંદ્રા આવે.
3. ગરમીનાં
દર્દોની અકસીર ઔષધિ – ગળો
પરિચય
સર્વરોગહર અને અમૃતની ઉપમા પામેલ તથા
ગરમીના દર્દોમાં ખાસ વપરાતી ‘ગળો‘ (અમૃતા, ગિલોય)ના લાંબા વેલા થાય છે. જે કોઈ પણ
ઝાડ કે વાડ ઉપર ચડે છે. તેની ડાળી (વેલ) પેન્સીલથી માંડી અંગૂઠા જેવી જાડી થાય છે, જેની વચ્ચે વચ્ચે વેંત – દોઢ વેંતના અંતરે ગાંઠ હોય છે. વેલને અંતરે એક એક
પીપળાના પાન જેવા હ્રદયાકારના પાન આવે છે. તેના મૂળ જાડા અને કંદ જેવા હોય છે. કુમળી વેલની છાલનો રંગ લીલો અને
જૂનીનો રંગ ઝાંખો-સફેદ હોય છે. જે ગળો લીમડા,
બાવળ કે આંબાના ઝાડ પર ચઢલી હોય, તે ગુણમાં ઉત્તમ મનાય છે. દવામાં લીમડાની ગળો ખાસ વધુ વપરાય છે. ગળોમાંથી તેનું સત્વ ‘ગળોસત્વ‘ મળે છે. દવારૂપે ગળોની ડાળી (વેલ : કાંડ) અને ગળોસત્વ તથા ગળોનું ઘન વધુ
વપરાય છે.
ગુણધર્મો
ગળો – કડવી, તૂરી, તીખી અને મધુર છે. તે ત્રિદોષનાશક ઉત્તમ રસાયન ઔષધિ છે. ગળો મૂત્રલ, કટુ પૌષ્ટિક, બળપ્રદ, અગ્નિવર્ધક, હળવી, હ્રદયને હિતકારી, આયુષ્યવર્ધક તથા
તાવ, દાહ, તરસ, રક્તદોષ,ઊલટી, વાયુ, ભ્રમ, પાંડુ, પ્રમેહ, કમળો, આમદોષ, ઉધરસ, પત (કોઢ), કૃમિ, લોહીના હરસ, વાતરકત (ગાઉટ), ખુજલી, મેદ, રતવા, પિત્ત અને કફનો નાશ કરે છે. ગળોસત્વ – મધુર, પથ્ય, હલકું, ભૂખવર્ધક, આંખની શક્તિ વર્ધક, વીર્યવર્ધક, મેઘાશક્તિવર્ધક, યુવાની ટકાવી રાખનાર તથા ત્રિદોષ, પાંડુ, તીવ્ર તાવ, ગાઉટ (વાતરક્ત), જીર્ણતાવ, પિત્ત, કમળો, પ્રમેહ, ક્ષય, દાહ, પ્રદર, હરસ, હેડકી, દમ, ખાંસી જેવા અનેક રોગો મટાડે છે.
ઔષધિ પ્રયોગ
૨)
આમવાત (રૂમેટિઝમ) : ગળો અને સૂંઠના ઉકાળામાં દિવેલ ૧-૨ ચમચી નાંખી
રોજ ૨ વાર પીવું.
(૩) પીત્ત (ગરમી)નાં દર્દો : ગળોના તાજા રસમાં સાકર ઉમેરી સવાર સાંજ પીવું.
(૪) કફ-શરદી-શ્વાસના દર્દમાં : ગળો અને આદુ અથવા તુલસીના રસમાં મધ કે વર્ષ જૂનો ગોળ નાંખી રોજ પીવું.
(૫) ધાવણ વધારવા : ગળોના ઉકાળામાં જીરાની ભૂકી તથા મધ નાંખી રોજ પીવું.
(૬) વાતરક્ત (ગાઉટ) : સાંધામાં ગાંઠો) ગળો, ગોખરૂં અને આમળાના ઉકાળામાં દિવેલ ૧ ચમચી અથવા મધ ર ચમચી રોજ બે વાર પીવું.
(૭) શીળસ : ગળોના ઉકાળામાં હળદર તથા મધ નાંખી પીવું.
(૮) હ્રદયશૂળ અને વાયુનું શૂળ : ગળો અને મરીનું ચૂર્ણ ગરમ પાણી, મધ કે ગોળ સાથે લેવું.
(૯) વાયુનાં દર્દો : ગળો, એરંડ, મૂળ, સુંઠ, દેવદાર, રાસ્ના અને હરડેથી બનતો ‘અમૃતાદિ ક્વાથ‘ રોજ સવાર-સાંજ દિવેલ નાંખી પીવો.
(૧૦) ચોથિયો તાવ : ગળો, આમળા અને મોથનો રોજ ઉકાળો પીવો.
(૧૧) રસાયન – દીર્ઘજીવન પ્રયોગ : ગળો, ગોખરૂ અને આમળાનું તાજું ચૂર્ણ રોજ ગળ્યા દૂધ અથવા ઘી અને સાકર સાથે કાયમ લેવું. આ પ્રયોગ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, એસિડીટી, પેશાબ અને વીર્યના દર્દો વગેરે મટાડી શરીર કાયમ સ્વસ્થ રાખે છે.
(૧૨) કફ, પ્લીહા (બરોળ) વધવી, ખાંસી અને અરૂચિમાં તાજી ગળોના રસમાં લીંડીપીપર ચપટી તથા મધ નાંખી, રોજ સવાર-સાંજ પીવું.
(૧૩) હરસ (ગરમીના કે દૂઝતા) : ગળોસત્વ ૨ ગ્રામ રોજ માખણ અને સાકર સાથે લેવું.
(૩) પીત્ત (ગરમી)નાં દર્દો : ગળોના તાજા રસમાં સાકર ઉમેરી સવાર સાંજ પીવું.
(૪) કફ-શરદી-શ્વાસના દર્દમાં : ગળો અને આદુ અથવા તુલસીના રસમાં મધ કે વર્ષ જૂનો ગોળ નાંખી રોજ પીવું.
(૫) ધાવણ વધારવા : ગળોના ઉકાળામાં જીરાની ભૂકી તથા મધ નાંખી રોજ પીવું.
(૬) વાતરક્ત (ગાઉટ) : સાંધામાં ગાંઠો) ગળો, ગોખરૂં અને આમળાના ઉકાળામાં દિવેલ ૧ ચમચી અથવા મધ ર ચમચી રોજ બે વાર પીવું.
(૭) શીળસ : ગળોના ઉકાળામાં હળદર તથા મધ નાંખી પીવું.
(૮) હ્રદયશૂળ અને વાયુનું શૂળ : ગળો અને મરીનું ચૂર્ણ ગરમ પાણી, મધ કે ગોળ સાથે લેવું.
(૯) વાયુનાં દર્દો : ગળો, એરંડ, મૂળ, સુંઠ, દેવદાર, રાસ્ના અને હરડેથી બનતો ‘અમૃતાદિ ક્વાથ‘ રોજ સવાર-સાંજ દિવેલ નાંખી પીવો.
(૧૦) ચોથિયો તાવ : ગળો, આમળા અને મોથનો રોજ ઉકાળો પીવો.
(૧૧) રસાયન – દીર્ઘજીવન પ્રયોગ : ગળો, ગોખરૂ અને આમળાનું તાજું ચૂર્ણ રોજ ગળ્યા દૂધ અથવા ઘી અને સાકર સાથે કાયમ લેવું. આ પ્રયોગ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, એસિડીટી, પેશાબ અને વીર્યના દર્દો વગેરે મટાડી શરીર કાયમ સ્વસ્થ રાખે છે.
(૧૨) કફ, પ્લીહા (બરોળ) વધવી, ખાંસી અને અરૂચિમાં તાજી ગળોના રસમાં લીંડીપીપર ચપટી તથા મધ નાંખી, રોજ સવાર-સાંજ પીવું.
(૧૩) હરસ (ગરમીના કે દૂઝતા) : ગળોસત્વ ૨ ગ્રામ રોજ માખણ અને સાકર સાથે લેવું.
4·
હ્રદયરોગીઓ
માટે ઉપયોગી ઔષધી - સાદડ
પરિચય
સાદડ એટલે અર્જુન. તેની સફેદ અને રાતી
એમ બે જાત છે. તેની છાલ ચોસલા લગાવ્યા હોય તેવી લાગે છે. બહારથી તે ચીકણી હોય છે. અંદરથી સુંવાળી, જાડી અને રાતી હોય છે. સાદડનો રસ તૂરો છે અને તાસીરે ઠંડી છે. તે હલકી તથા લૂખી છે.
હ્રદયરોગ માટે ખૂબ પ્રચાર પામેલ
છે. તે કફ–પિત્તશામક, મેદોહર, વિષધ્ન, હ્રદ્ય, જ્વરહર, વ્રણરોપણ અને શામક છે.
તેની છાલનું ચૂર્ણ અને ઉકાળો વપરાય છે. તે
ઉપરાંત તેનો ક્ષીરપાક, ઘી, અર્જુનારિષ્ટ વગેરે પણ બનાવાય છે. ક્ષીરપાક અને ઘીમાં તેની તીક્ષ્ણતા
ઘટે છે.
પેશાબમાં પરું આવતું હોય તો તેનો ઉકાળો પીવો.
હ્રદયરોગીએ અર્જુનનો દૂધપાક નિયમિત લેવો. પાશેર દૂધમાં ૧ તોલો ચૂર્ણ નાખી થોડું પાણી, ખાંડ ઉમેરી ધીમા તાપે પકવી ઠારીને પીવું.
દૂઝતા હરસમાં ગુદાનું પ્રક્ષાલન તેના ઉકાળાથી
કરવું. મોંના ખીલ ઉપર છાલના ઘસારાનો લેપ કરવો. ઘામાં
તેના ઉકાળાથી ધોઈ તેનું ચૂર્ણ ભરી પાટો બાંધવો.
રક્તપિત્ત, શુક્રમેહ, મૂત્રાઘાત, અગ્નિમાંદ્ય, અસ્થિભગ્ન, રક્તાતિસાર, રક્તપિત્ત, મેદવૃદ્ધિ, પ્રમેહ, રક્તદોષ, જીર્ણજ્વર, દૂઝતા હરસ વગેરેમાં તેનો ઉકાળો પીવો. મુખરોગ કે મુખપાકમાં તેના ઉકાળાના કોગળા
કરવા.
5..કફ-વાયુ-શરદી-પીડાશામક – નીલગિરી
5..કફ-વાયુ-શરદી-પીડાશામક – નીલગિરી
પરિચય
મૂળ ઑસ્ટ્રેલિયા દેશનું વતની નીલગિરી
(સર્વતોભદ્ર, નીલગિરી) વૃક્ષ આજે ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરી ધોળકા, સાણંદ, દહેગામ, દસક્રોઈ તાલુકામાં ખૂબ થાય છે. નીલગિરીના ઝાડ ખૂબ ઊંચા, સરળ, સફેદ – નીલાભ, ચીકણી છાલવાળા હોય છે. પાન કરેણ જેવા લાંબા-પીળા, સફેદાશ પડતા, લીલા, ચમકતા, સુગંધીત અને ૨૦-૨૫ સે.મી. કે ૮ થી ૧૦
ઈંચ લાંબા, નીચે પહોળા, છેડેથી અણીદાર-સાંકડા થાય છે. પાનમાંથી
સુગંધીત તેલ – ‘યુકેલીપ્ટસ‘ પ્રાપ્ત થાય છે. જે પીડાશામક બામ, ચલમ તથા માલિશના તેલોમાં ખાસ વપરાય છે. તેની પર
૧ થી ૩ જેટલા ફૂલ પત્રકોણમાંથી નીકળે છે. ફળ
અર્ધાથી એક ઇંચ વ્યાસના કોણાકાર થાય છે. નીલગિરીની ૩૦૦ જેટલી જાતો છે. તેનું લાકડું ઇમારતી લાકડા રૂપે
વપરાય છે. તેની ૨૫ જાતિમાંથી જ
નીલગિરી તેલ મળે છે. નીલગિરીના પાન અને તેનું તેલ બે વસ્તુ દવા તરીકે વપરાય છે
ગુણધર્મો
નીલગિરી ઝાડ-કડવું, તીખું અને તૂરા રસનું, ગુણમાં હળવું,
સ્નિગ્ધ, તીક્ષ્ણ, ઉષ્ણવીર્ય, સ્વભાવે ગરમ, પચ્યેથી તીખું અને કફ તથા વાયુદોષ શામક
છે. તે ચામડીનાં કે જખમના
જંતુનાશક કે જીવાણુ વૃદ્ધિનાશક અને કફ, શરદી, સળેખમ તથા નાકબંધ થઈ જવાની તકલીફ મટાડનાર છે. આ જ ગુણો તેના પાનમાં છે. નીલગિરીનું તેલ-આછા પીળા
રંગનું અને કપૂર જેવી ગંધવાળુ, સ્વાદે તીખું અને ઠંડક કરનારુ હોય છે. આ તેલ બે ભાગ આલ્કોહોલમાં ભળી જાય છે. પાણીમાં અલ્પમાત્રામાં
ઓગળે છે. નીલગિરી ઉત્તેજક, પીડાનાશક, કફધ્ન, તાવશામક, કફ-શરદી હટાવનાર, મૂત્ર તથા પરસેવો લાવનાર અને પ્લીહા
(બરોળ)ને સંકોચનાર છે, તે દુષ્ટપીનસ (સળેખમ), ફલુ, શરદી, પ્રસુતિ જ્વર, સેપ્ટિક તાવ, વિષમ જ્વર (મેલેરિયા) તથા અજીર્ણના ઝાડા મટાડનારી પ્રભાવશાળી ઔષધિ છે.
ઔષધિ પ્રયોગ
(૧) પ્રસૂતાનો તાવ-પરુ (સેપ્ટિક) થવાથી થયેલ તાવ-શરદીનો તાવ : નીલગિરી તેલના ૫ ટીપા ખાંડ, પતાસું કે દૂધમાં મેળવી સવાર સાંજ લેવા.
(૨) મેલેરિયા, લીવર વધવું : નીલગિરી તેલના પાંચ ટીપા સવાર-સાંજ ચા કે તુલસીના ઉકાળા સાથે પીવા.
(૩) અજીર્ણ-અપચો-અપચાના ઝાડા : નીલગિરી તેલનાં ૩ થી ૫ ટીપાં (ઉંમર મુજબ) દર્દીને ચા, ખાંડ કે દૂધ સાથે આપવા.
(૪) શરદી-સળેખમ-નાક બંધ થવું : નીલગિરી તેલ હાથ રૂમાલમાં નાંખી વારંવાર સૂંઘવું કે ગરમ ઉકળતા
પાણીમાં થોડું નીલગિરી તેલ નાંખી, તેની ઉપર મોં રાખી, માથે ટુવાલ ઢાંકીને તેની વરાળ લેવી.
છાતીએ, પીઠે તથા કપાળે નીલગિરી તેલનું માલિશ કરવું. નાના બાળકોની શરદીમાં
અન્ય બામ કરતાં આ તેલ વધુ નિર્દોષ છે.
(૫) અમૃતબિંદુ, સુધામૃત : (કૉલેરા, ઝાડા, ઊલટી, મૂર્ચ્છા માટે) : કપૂર અને થાયમોલ ૫-૫ મી. લી. મેંથોલ ૧૦ ગ્રામ, નીલગિરી ૧૦ ગ્રામ, લવિંગ તેલ ૧ મિ. ગ્રા. જીંજર ૫૦ ગ્રામ તથા આલ્કોહોલ ૯૦ ગ્રામ
મિશ્ર કરી શીશીમાં મજબૂત બૂચ મારવું. ૫-૮ ટીપાં દર્દીને પતાસા ખાંડ કે ચા-દુધમાં આપવા. તેથી અલ્પ માત્રાથી પણ
જલ્દી લાભ થાય છે તે રૂમાલમાં
નાખી સૂંઘવું કે ઈનહેલર (ભૂંગળીમાં મૂકી સુંઘવાથી શરદી, કંઠદાહ, ખાંસી વગેરેમાં પણ લાભ થશે. કૉલેરામાં
આ દવાના ટીપા અમૃત જેવું કામ કરે છે.
6.કફદોષનાશક
અને વાળ કાળા કરનાર – બહેડાં
પરિચય
ગુણધર્મો
ઔષધિ પ્રયોગ
ગુણધર્મો
પથરાળ અને ચૂનાવાળી જમીન પર તથા
જંગલોમાં ખાસ થનારા બહેડા (બિભીતક, બહેડા)ના ઝાડ ૧૫ થી ૧૦૦ ફુટ ઊંચા, હરડેના ઝાડ જેવા થાય છે. એના પાન વડના પાન જેવાં ૩ થી ૬ ઈંચ લાંબા ઈંડાકાર પણ જરા પહોળાં, તામ્રવર્ણના, જરા દુર્ગંધયુક્ત થાય છે. તેની ઉપર ૩-૬
ઈંચ લાંબી સળી ઉપર નાના નાના પીળાશ પડતાં
પુષ્પોની મંજરી આવે છે. બહેડાના ફળ ૧ ઈંચ લાંબા, ભૂખરા (ધૂળિયા)રંગના અને ઉપર જાડી છાલ
પણ વચ્ચે કઠણ ઠળિયો હોય છે. તે ઠળિયામાં વચ્ચે સફેદ મીંજ હોય છે. દવામાં પ્રાયઃ બહેડાં ફળની ઉપરની
છાલ અને ઠળિયાના મીંજ કે મીંજનું તેલ વધુ વપરાય છે. હરડે, બહેડા અને આમળા-જેને ‘ત્રિફળા‘
કહે છે, તે આયુર્વેદમાં ખૂબ વપરાતી ઔષધિ છે
ગુણધર્મો
બહેડાં સ્વાદે તૂરાં, કડવાં, તીખાં અને મધુર હોય છે. ગુણમાં તે હળવા, ગરમ, લૂખા, મળભેદક, આંખને હિતકર તથા વાળ કાળા કરનાર અને કેશવર્ધક છે. તે રક્તસ્તંભક, પીડાશામક, ધાતુવર્ધક, કફ-પિત્તશામક, કેશવર્ધક અને કફ, શ્વાસ, ખાંસી, સોજા, મંદાગ્નિ, આફરો, તરસ, ઊલટી, હરસ, કૃમિ, વાળ સફેદ થવા, શરદી, અવાજ બેસી જવો, લોહીની ઊલટી થવી, નેત્ર રોગ, નાકના રોગ અને લોહીના રોગ મટાડે છે. ફળનો ગર્ભ તૂરો, હળવો, ગરમ, માદક (કેફી), પીડાશામક અને સોજો મટાડનાર છે. તે તૃષા, વમન, ખાંસી, શ્વાસ, હેડકી, નેત્રવિકારો, નાકના દર્દો, કૃમિ તથા અનિદ્રાનાશક છે તે કેશ માટે હિતકર છે. પણ વધુ માત્રામાં અફીણ જેવી કેફી હોઈ અલ્પ માત્રામાં લેવી. બી (બહેડાં મીંજ)નું તેલ : સ્વાદુ, શીતળ, ભારે, વીર્યવર્ધક, કાંતિવર્ધક, કફજનક, સફેદ કોઢ અને સફેદ વાળ, સોજા દાહ, ખુજલીનો નાશકર્તા છે.
ઔષધિ પ્રયોગ
(૧) ખાંસી, શરદી, શ્વાસ : બહેડાં ચૂર્ણ હળદર અને સિંધવનું ચૂર્ણ કરી, તેને બકરીના કે ગૌમૂત્રમાં ઘુંટીને
વટાણા જેવડી ગોળીઓ વાળી લેવી. રોજ ૨-૨ ગોળી સવાર-સાંજ લેવી.
(૨) અંગદાહ : બહેડાનાં મીંજ પાણીમાં બારીક વાટીને બળતરા પર લેપ કરવો.
(૩) કફનો રોગ : બહેડાંની છાલનો ઉકાળો કરી તેમાં સાકર કે મધ નાંખી પીવો.
(૪) પેચોટી ખસવી : બહેડાંની છાલનો રસ કે ચૂર્ણ દિનમાં ૩ વાર લેવાથી લાભ થશે.
(૫) પાંડુ (રક્તાલ્પતા) : બહેડાંની છાલનું ચૂર્ણ, સૂંઠ અને તલનું
ચૂર્ણ તથા મંડૂર ભસ્મ સમભાગે લઈ ચૂર્ણ કરી તેમાં જૂનો ગોળ મેળવી, ૫ ગ્રામની ગોળીઓ બનાવી લો. સવાર-સાંજ ૧-૧ ગોળી છાશ સાથે લેવી.
(૬) આમવાત : બહેડાની મજ્જાનું તેલ પીડાવાળા ભાગે માલિશ કરવું.
(૭) અકાળે સફેદ વાળ : બહેડાંના ફળના મીંજનું તેલ રોજ નાકમાં
૩-૪ ટીપાં નાખવાથી વર્ષે વાળ સફેદના કાળા થાય. આ તેલ ભાંગરાના તેલમાં મિક્સ કરી રોજ વાળમાં
નાંખવાથી, વાળ કાયમ કાળા-સુંદર રહે છે.
(૮) દાહ-સોજા-ગાંઠ-અગ્નિથી દાઝવું : બહેડાં મીંજને પાણીમાં વાટીને રોજ લેપ કરવાથી લાભ થશે.
(૯) આંખનું ફૂલુ : બહેડાં મીંજને દૂધમાં કે મધમાં ઘુંટીને રોજ આંખમાં આંજવું.
(૧૦) પથરી-મૂત્રરોગો : બહેડામીંજ, ખપાટના મૂળ, ગોખરું, કૌંચબીજ, એખરો, ચોખા, દેવદાર તથા ચિત્રક સમભાગે લઈ જવકુટ કરી, ઉકાળો કરી તેમાં મધ નાંખી સેવન કરવાથી પથરી, મૂત્રવિકાર, સોજા તથા ગાંઠ મટે છે.
7. કફ, વાયુ
અને પેટના દર્દોની વનસ્પતિ – ધોળો ચંપો
પરિચય
ચંપો (શ્વેતચંપક, સફેદ ચંપા)નું ઝાડ મધ્યમ ઊંચાઈ અને વધુ ફેલાવાવાળુ થાય છે. તેની ડાળીઓ કમજોર હોઈ જલ્દી તૂટી જાય છે.
આખા ઝાડમાં દૂધ જેવો રસ હોય છે. તેના પાન આંબાના પાન જેવા પણ વધુ લાંબા, પહોળા, દળદાર તથા લીલા રંગના થાય છે. તેની પર વસંતઋતુમાં ૫ પાંખડીવાળા, સફેદ, દળદાર અને જરાક રાતી આભાવાળા ફૂલ થાય
છે. તેની વચ્ચેની નાળ,
સુંદર પીળા રંગની હોય છે ફૂલમાં હળવી મીઠી
સુગંધ હોય છે. જૂના ઝાડમાં ક્યારેક શીંગો થાય છે. આ વૃક્ષ ખાનગી તથા જાહેર બાગ-બગીચામાં ખાસ
જોવાય છે.
ગુણધર્મો
ધોળો ચંપો કડવો, તીખો અને તૂરો, ઉષ્ણવીર્ય, ગરમ, સારક અને ચળ, કોઢ, વ્રણ (જખમ), વાયુ દોષ, ઉદર રોગ, સોજા તથા આફરાને મટાડે છે. ઝાડની છાલ કડવી – તીખી, તીવ્ર, રેચક મૂત્રલ અને તરિયા તાવ, વાયુ સોજો અને
રક્તવિકાર મટાડે છે. મૂળની છાલ તીવ્ર વિરેચક છે. ચંપાના ફૂલ ચાંદી, લોહી વિકાર અને
શીત (મેલેરિયા) તાવ મટાડે છે. તેનું દૂધ કે રસ ત્વચા પર દાહ પેદા કરનાર, રેચક અને ચળ તથા કોઢનાશક છે. પાન વ્રણ (જખમ)ના સોજા મટાડે છે. ચંપો ગરમ હોઈ ગરમ તાસીરવાળાએ
ન વાપરવો.
ઔષધિ પ્રયોગ
(૧) વાયુ દોષથી અંગની બહેરાશ (શૂન્યતા) : ચંપાનો રસ અંગ પર ચોપડવો અથવા ચંપાના પાન ગરમ કરી તે વડે અંગને
શેકવા દેવા.
(૨) ગડ-ગુમડાં અને ગાંઠો : ચંપાના દૂધ કે પાનને વાટીને તેની લુગદી
લગાડવી.
(૩) રેચ લેવા માટે : ચંપાની છાલનું ચૂર્ણ કોપરા સાથે લેવું.
વધુ રેચ બંધ કરવા – (ઉતાર) – ભાતમાં ઘી અને સાકર નાંખી લેવું.
(૪) ટાઢિયો તાવ : ચંપાના ફૂલની કળીઓ તેના ડીંટા સાથે તુલસીના કે નાગરવેલના પાનમાં મૂકી,
૩ બીડા બનાવો. તાવ આવ્યા પહેલા ૧-૧ કલાકના અંતરે ૧ બીડું દર્દીને ચવડાવવું.
(૫) ખસ-ત્વચા રોગ : ચંપાનું દૂધ અને કોપરેલ તેલ મિશ્ર કરી, તેમાં કપૂર મેળવી, દર્દ પર ચોપડવું.
(૬) રક્ત વિકાર તથા ચાંદી (ઉપદંશ) : ચંપાની છાલનો ઉકાળો કરી પાવો. શરૂમાં
ઝાડા થશે. ઉકાળાથી વધુ ઝાડા થાય કે ગરમી થાય તો તાજી મોળી છાશ પીવી.
(૭) જળોદર : ચંપાની છાલનો ઉકાળો કરી સવારે ૧ વાર કે સવાર-સાંજ ૨ વાર પાવો.
(૮) ગળત કોઢ : તાજી છાલ ૧૦ ગ્રામ સાથે ૧૦ નંગ કાળા મરી બારીક વાટી, તેમાં ૧૦૦ ગ્રામ પાણી મેળવી ગાળીને સવારે ૨ વાર જ પાવું. શરૂમાં ઝાડા-ઉલટી થશે. વેગ શમ્યા પછી વધુ ઘી
વાળી ખીચડી કે ઘીમાં બનાવેલ
ઘઉંના લોટનો શીરો દેવો. દર્દીએ આ પ્રયોગમાં ઘી વધુ લેવું.
(૯) સંધિવા : ચંપાનું દૂધ દર્દ પર લગાડવું.
(૧૦) દાદર-ખુજલી-ત્વચા રોગ : ચંપાનું દૂધ (રસ)માં ચંદનનું તેલ કે કોપરેલ અને કપૂર મેળવી લગાડવું.
(૧૧) સર્પવિષ : ચંપાની ફળી મળે તો તે લાવીને તેને દૂધમાં બાફીને સાચવી રાખવી. જરૂર પડે ત્યારે
શીંગ (ફળી)ને પાણીમાં ઉકાળી,
ગાળીને પાવું અથવા ચંપાની છાલ અને બીલીની છાલ
સાથે ખાંડી, તેનો રસ કે ઉકાળો કરી ૫૦૦ ગ્રામ સુધી પાવો, તેનાથી ઝેર, ઝાડા-ઉલટી થઈ બહાર નીકળશે. આ દર્દીને વારંવાર ચોખ્ખું ઘી પણ પાવું.
8.લીવર
અને મૂત્રાશયના દર્દોની અકસીર ઔષધિ –
ભોંય આમલી
પરિચય
ગુજરાત તથા ઉષ્ણપ્રદેશોમાં ભોંય આમલી
કે ભોંય આંબળી (ભૂમ્યામલકી, ભૂઈ આંવલા) નામે ઓળખાતી અને ખાસ ચોમાસામાં ખેતરો અને
જંગલોમાં સ્વયંભૂ થતી આ વનસ્પતિના છોડ છ ઇંચથી દોઢ ફૂટના ઊંચા અનેક ડાળીઓવાળા થાય છે. તેનાં પાન ખૂબ ઝીણાં, લંબગોળ અને આંબલીના પાનને મળતાં આવતાં, આંતરે આવેલ હોય
છે. પાનની પાછળ સળી પર પીળા રંગના સરસવ જેવડાં નાના અનેક ફળ આવે છે. તેનો સ્વાદ આમળા જેવો હોય છે. તેની પર નર –
માદા બંને ફૂલ થાય છે. ચોમાસામાં ફૂલ લીલા કે સફેદ રંગના હોય છે. તેની ૩ જાતો થાય છે.
સફેદ ફૂલવાળી, લાલ ફૂલવાળી અને મોટી ભોંય આમલી.
ભોંય આમલી રસમાં મધુર પણ પાછળથી કડવી,
તૂરી, ખાટી, હળવી, રૂચીકર, શીતવીર્ય, પિત્ત તથા કફનાશક, રક્તશુદ્ધકર્તા, દાહશામક અને મૂત્રલ છે. તે નેત્રરોગ, વ્રણ, શૂલ, પ્રમેહ, મૂત્રાલ્પતા, મૂત્રકષ્ટ, તૃષા, ખાંસી, પાંડુ, ક્ષત, વિષ, નેત્રદાહ, ચળ, રક્તપ્રદર, હેડકી અને શ્વાસ મટાડે છે. તે
વાયુકર્તા પણ લીવરના દર્દો મટાડનાર, અગ્નિવર્ધક અને
આમના ઝાડા મટાડે છે. તે તરિયો તાવ તથા કમળો, જળોદર અને આંખની પીડા મટાડે છે.
ઔષધિ પ્રયોગ
(૧) હેડકી-શ્વાસ : ભોંય આમલીનું મૂળ પાણીમાં ઘસી તેમાં
જરા સાકર નાંખી તે
પ્રવાહીનું નાકમાં નસ્ય લેવાથી શ્વાસ તથા હેડકી મટે.
(૨) લોહીવા (રક્તપ્રદર) : ભોંય આમલીના બીજનું ચૂર્ણ ચોખાના ધોવાણ સાથે થોડા દિવસ લેવાથી રક્તપ્રદર અને ગરમીના દર્દ મટે.
(૩) લીવર-બરોળના દર્દો-વિષમજ્વર, કમળો : ભોંય આમલીના પંચાંગનો ઉકાળો કરી રોજ પીવો.
(૪) સંગ્રહણી (સંઘરણી) : ભોંય આમલીના નાના છોડનો ઉકાળો કરી સૂંઠ અને જીરું ઉમેરી પીવાથી લાભ થશે.
(૫) વ્રણ-સોજા : ભોંય આમલીના મૂળ અને પાનના ચૂર્ણમાં ચોખાનું ધોવાણ નાંખી, તેની પોટીસ કે લેપ કરી લગાવવું.
(૬) કમળો : ભોંય આમલીના તાજામૂળ ૧૦ ગ્રામ લઈ કચરી (ખાંડી) ૧ પ્યાલા દૂધમાં ઉકાળી રોજ પીવું. અથવા ભોંય આમલીના પાનનું ચૂર્ણ ૫ ગ્રામ જેટલું રોજ પાણીમાં લેવું.
(૭) જલોદર : ભોંય આમલીના પંચાંગનો ઉકાળો કરી, રોજ પીવાથી પેશાબમાં વધારો થઈ જળોદર મટે છે.
(૮) પેશાબની અલ્પતા કે અટકાયત : ભૂમિ આમળાના પાનનો ૨૦ ગ્રામ રસમાં ૨ ચમચી ઘી અને સાકર ૧ ચમચી ઉમેરી પીવાથી મૂત્રદાહ, મૂત્રની અલ્પતા કે થોડું મૂત્ર કષ્ટથી ઊતરવાની પીડા શમે છે. પેશાબ ખૂબ છૂટથી આવે છે.
(૯) કિડની ફેઈલ – મૂત્ર ન બનવું કે મૂત્રનાશ : ભોંય આમલી, ગોખરું અને શેરડીના મૂળનો ઉકાળો કરી, તેમાં શિલાજીત ઉમેરી રોજ સવાર-સાંજ પીવું. (શેરડીના મૂળ ન મળે તો બાકીની બે દવા લેવી.)
(૨) લોહીવા (રક્તપ્રદર) : ભોંય આમલીના બીજનું ચૂર્ણ ચોખાના ધોવાણ સાથે થોડા દિવસ લેવાથી રક્તપ્રદર અને ગરમીના દર્દ મટે.
(૩) લીવર-બરોળના દર્દો-વિષમજ્વર, કમળો : ભોંય આમલીના પંચાંગનો ઉકાળો કરી રોજ પીવો.
(૪) સંગ્રહણી (સંઘરણી) : ભોંય આમલીના નાના છોડનો ઉકાળો કરી સૂંઠ અને જીરું ઉમેરી પીવાથી લાભ થશે.
(૫) વ્રણ-સોજા : ભોંય આમલીના મૂળ અને પાનના ચૂર્ણમાં ચોખાનું ધોવાણ નાંખી, તેની પોટીસ કે લેપ કરી લગાવવું.
(૬) કમળો : ભોંય આમલીના તાજામૂળ ૧૦ ગ્રામ લઈ કચરી (ખાંડી) ૧ પ્યાલા દૂધમાં ઉકાળી રોજ પીવું. અથવા ભોંય આમલીના પાનનું ચૂર્ણ ૫ ગ્રામ જેટલું રોજ પાણીમાં લેવું.
(૭) જલોદર : ભોંય આમલીના પંચાંગનો ઉકાળો કરી, રોજ પીવાથી પેશાબમાં વધારો થઈ જળોદર મટે છે.
(૮) પેશાબની અલ્પતા કે અટકાયત : ભૂમિ આમળાના પાનનો ૨૦ ગ્રામ રસમાં ૨ ચમચી ઘી અને સાકર ૧ ચમચી ઉમેરી પીવાથી મૂત્રદાહ, મૂત્રની અલ્પતા કે થોડું મૂત્ર કષ્ટથી ઊતરવાની પીડા શમે છે. પેશાબ ખૂબ છૂટથી આવે છે.
(૯) કિડની ફેઈલ – મૂત્ર ન બનવું કે મૂત્રનાશ : ભોંય આમલી, ગોખરું અને શેરડીના મૂળનો ઉકાળો કરી, તેમાં શિલાજીત ઉમેરી રોજ સવાર-સાંજ પીવું. (શેરડીના મૂળ ન મળે તો બાકીની બે દવા લેવી.)
9. અનેક
રોગનાશક : ગર્ભપ્રદ ઉપયોગી ઔષધિ – સાગ
પરિચય
ગુજરાતમાં આખા ગિરનારના જંગલોમાં સાગ
(દ્વારદારુ, શ્રેષ્ઠકાષ્ઠ/સાગી, સાગવાન)નાં અસંખ્ય વૃક્ષો થાય છે. સાગનું લાકડું ખૂબ કઠણ હોઈ, તે ઈમારતી તથા ફર્નિચર કામમાં ખૂબ વ્યાપકપણે વપરાય છે. સાગના ઝાડ ૨૦ થી ૧૫૦ ફીટ જેટલા ઊંચા ને સીધા
થાય છે. એની ડાળીઓ-થડ બધા
સફેદ રંગના હોય છે. સાગના પાન લગભગ દોઢ ફુટ લાંબા-પહોળાં હોય છે. આ પાનને હાથમાં રાખી ચોળવાથી લાલ રંગ
હાથે લાગે છે. ઝાડની ડાળીઓના છેડે ફૂલના પુષ્પ મંડપો થાય છે. સાગના ફૂલ અનેક સંખ્યામાં સફેદ રંગના, સીધા અને રુંવાટીદાર હોય છે. ઝાડ પર ૦.૫ સે. મી. વ્યાસના, રુંછાળા, બહારથી કોમળ અને અંદરથી કઠણ, ભૂરા રંગના અને પ્રાયઃ ખાંચાવાળા ફળ થાય છે. ઉનાળામાં ઝાડના પાન ખરી જાય છે. પુષ્પો
વસંતમાં અને ફળનો બીજકાળ જેઠ
માસ છે.
ગુણધર્મો
સાગનું ઝાડ, તૂરું, શીતળ, ગર્ભસંધાનકર તથા ગર્ભપાતને અટકાવી તેને સ્થિર કરનાર અને રક્તપિત્ત, હરસ, વાયુ, પિત્ત (ગરમી), ઝાડા, સોજા, કૃમિ, કોઢ, પ્રમેહનાશક છે. સાગના ફૂલ-કડવા, તૂરાં, લૂખા, વિશદ, હળવા, મૂત્રલ, વાતપ્રકોપ પણ કફ-પિત્ત અને પ્રમેહ-નાશક છે. ઝાડની છાલ મધુર, લુખી, તૂરી, પિત્ત તથા કફનાશક, સ્તંભક અને સોજાનાશક છે. ઝાડના મૂળ-અલ્પમૂત્ર તથા પેશાબની અટકાયતનાશક
છે. ઝાડનું લાકડું તૂરું, શીતળ, મૃદુરેચક, ગર્ભવતી અને ગર્ભાશય માટે શામક,
પિત્તવિકાર, હરસ તથા ઝાડા મટાડે છે. ફળના બીજ મૂત્રલ છે. બીજમાંથી પ્રાપ્ત થતું તેલ કેશવર્ધક અને ખુજલીનાશક છે.
પાન-પિત્તશામક, રક્તસ્ત્રાવ અટકાવનાર અને સૂક્ષ્મ
રક્તવાહિનીઓને સંકોચનાર છે.
ઔષધિ પ્રયોગ
(૧) પથરી અને પેશાબ ન થવો : સાગના ૧ બીને વાટી, પાણીમાં પીવું અનેતેનો ડૂંટી નીચે લેપ કરવો.
(૨) રતવા : સાગના લીલા પાનનો રસ કાઢી, ઉકાળીને જાડો રબડી જેવો કરી, રતવાના વ્રણ પર લેપ કરવો. અથવા તેલમાં તેના પાનનો રસ ઉકાળી તે તેલ લગાવવું.
(૩) વીર્યની ગરમી અને મૂત્રકૃચ્છ : ૧૦૦ ગ્રામ દૂધમાં ૧૦૦ ગ્રામ પાણી નાંખી
સાગના બિયાનું ચૂર્ણ દોઢ ગ્રામ નાંખી ૭-૧૦ દિવસ પીવું.
(૪) હાથીપગું, રાફડો અને મેદસ્વિતા : સાગની છાલનો ઉકાળો કરી તેમાં અર્ધા
ભાગે ગોમૂત્ર ઉમેરી રોજ બે વાર પીવું.
(૫) શીળસ : સાગના લીલા પાન પાણીમાં ઉકાળી તે જળથી રોજ સ્નાન કરવું. તથા અજમો અને ગોળ સવાર સાંજ નરણા કોઠે
ખાવા.
(૬) મૂત્રાઘાત (પેશાબ અટકવો) : સાગના મૂળનું ચૂર્ણ કે તેનો ઉકાળો
બકરીનું દૂધ તથા સાકર નાંખી ૨-૩ વાર પીવો. આ પ્રયોગથી મૂત્રદાહ પણ શાંત થશે.
(૭) શ્વેતપ્રદર : સાગની છાલનો હિમ (પલાળ) બનાવી રોજ
તેમાં સાકર નાંખી પીવું.
(૮) મસ્તક પીડા : સાગના લાકડાને પાણીમાં ચંદનની જેમ
ઘસીને કપાળે ચોપડવાથી ગરમીથી થતી મસ્તક પીડા
શમે.
(૯) પિત્ત (ગરમી)નો સોજો :
સાગ-કાષ્ટ પાણીમાં ઘસીને, તેનો સોજા પર લેપ કરવો.
(૧૦) આંખના પોપચા સૂઝી જવા : સાગ લાકડું બાળી (કોલસા) ને તેને ખસખસ ડોડવાના (પલાળી રાખેલા) પાણીમાં બુઝાવવા, પછી તે કોલસા વાટીને પોપચા પર લેપ કરવો.
(૧૧) ઝાડા : સાગ છાલનું ચૂર્ણ ૫ ગ્રામ જેટલું રોજ ૨-૩ વાર લેવું.
(૧૨) ખુજલી : સાગ ફળના બીજનું તેલ કાઢી કે બી તેલમાં ઉકાળી તેનું માલિસ કરવું.