October 21, 2019

તકમરિયાં ગ્રંથોમાંથી લુપ્ત થઈ ગયાં નથી

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ(ખેડૂતોનો હમદર્દ)(પત્રકાર )

૧૮ વર્ષથી આયુર્વેદના અનુભવી

ભૂ.પૂ.બ્રાન્ચ મેનેજર(આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક સહકારી ફાર્મસી

તા.૧૭.૧૦.૨૦૧૯,ગુરુવાર

 આજકાલ યુરોપ અમેરિકાના લોકો વધુ તકમરિયાં ભારતથી આયાત કરીને સાઈડ ઈફેક્ટ ન કરનારાં ઔષધ તરીકે અનેક રોગમાં ઔષધરૂપે રાત્રે પલાળીને સવારે ખાય છે. ડાયાબિટીસવાળા પણ રાત્રે પલાળેલાં તકમરિયાં સવારે મધમાં નાખીને ખાઈ શકે છે. ડાયાબિટીસવાળાઓએ સાકરવાળા સવારના તકમરિયાંથી મૂંઝાવું નહીં. તકમરિયાં ગ્રંથોમાંથી સાવ લુપ્ત થઈ ગયાં નથી. સદભાગ્યે ભગવદગોમંડળમાં તકમરિયાંનો ઉલ્લેખ નીકળ્યો, પણ આપણાં અજ્ઞાનના પરિપાકરૂપે આયુર્વેદનાં એક પણ ગ્રંથમાં તકમરિયાંને ઉલ્લેખ નથી.તકમરિયાંનું મૂળ નામ તુખ્મેરિહાન છે. રિહાન એટલે બીજ. આ બીજને તકમરિયાં કહે છે. તકમરિયાં શીતળ છે. ગરમીની મોસમમાં પેટમાં ઠેઠ સુધી ખૂણે ખૂણે આખા શરીરને ઠંડક આપે છે. પ્રમેહ (ડાયાબિટીસ), મરડો અને સ્ત્રીઓના પ્રદરના રોગમાં રામબાણ કુદરતી ઔષધરૂપે તકમરિયાં કામ કરે છે. કોઈ પણ આડઅસર વગરનું આ કુદરતી ઔષધ છે. તકમરિયાંના છોડનાં પાનનો રસ વાટીને કાઢો અને તે રસ કોઈ પણ જખમ ઉપર લગાવો, તો તે ઔષધનું કામ કરે છે. ઉનાળામાં આ ગળ્યું તકમરિયાંનું મિશ્રણ પીવાથી લૂ લાગતી નથી.યુરોપ અને અમેરિકામાં લોકોને આપણા કરતા તકમરિયાંની ‘મેડિસિનલ વેલ્યુ’ વધુ સમજાઈ છે. ગુજરાત અને રાજસ્થાનથી તકમરિયાંની વિદેશમાં ભરપૂર નિકાસ થાય છે. તકમરિયાંનું સાયન્ટિફિક નામ છે- ઓસિમમ બેસિલિકમ. છેલ્લાં ૫૦૦૦ વર્ષથી તકમરિયાંની ખેતી થાય છે. એક જમાનામાં ઋષિઓ તપ કરે ત્યારે ઉનાળામાં તકમરિયાંનું પાણી સાકર સાથે પીતા. ઝાંઝમેર ગામના રામ મંદિરમાં હિમાલયના એક સાધુએ પોતાનું ઉગ્ર તપ પ્રદર્શિત કરવા તેની ચારેકોર ગોળાકારમાં છાણા ખડકીને સળગાવ્યાં અને વચ્ચે બેસીને ‘ધૂણી ધખાવી’, પણ તપ શરૂ કરતાં પહેલાં તે તુંબડું ભરીને તકમરિયાંનું પાણી સાકર સાથે પી ગયા.મુંબઈની ગૃહિણી જે તકમરિયાંથી પરિચિત ન હોય, તે કોઈ પાડોશનાં ડોશી પાસેથી તકમરિયાં પલાળવાનો ‘વિધિ’ જાણી લે. તકમરિયાંના વજનથી ૨૦-૨૫ ગણું પાણી નાખીને રાત્રે પલાળવાં. તકમરિયાંમાં ઔષધીય ગુણ સાથે પોષણના પણ ગુણો છે. તેમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ છે. તેના રેષાને કારણે તકમરિયાં કબજિયાતવાળા માટે ઘરઘરાઉ દવા બને છે.બહેનોને તેમનું વજન વધે તેની ચિંતા હોય છે. તકમરિયાં આ ચિંતા દૂર કરે છે. જૈન બહેનો ઘણી ઉપવાસ પહેલાં તકમરિયાં પલાળીને પીજાય છે, તેનાથી ભૂખ ઓછી લાગે છે. સૌથી સારું મિશ્રણ તકમરિયાંનું તરબૂચ અને દાડમના રસ સાથે થાય છે. ઘણી બહેનો ગુલકંદમાં તકમરિયાં ભેળવીને ચાર કલાક પછી ખાય છે. પરંતુ સૌએ આ અખતરો પોતાની પ્રકૃતિ પ્રમાણે કરવો.એસિડિટી અને હાર્ટબર્નમાં ઘણા લોકો હવે તુલસીના કાઢામાં તકમરિયાં અને ગોળ કે મધ નાખીને પીવે છે. ઉનાળામાં ઘણા લોકોને ભારે ખંજવાળ આવે છે. બે ઉપાય અક્સિર કામ કરે છે. તાજા કોપરેલ તેલમાં રાત્રે તકમરિયાં પલાળીને ઘસવા તેમજ સવારે નાળિયેરના પાણીમાં તકમરિયાં નાખીને પી જવા. વાંધો એ વાતનો છે કે લોકો તળેલું, ભૂંજેલું, ભજિયાં, વડા, ચેવડો, સેવની ભેળ વગેરે કચરો દાબડે છે. આજની માનસિક પ્રેશરવાળી જિંદગીમાં ઈન્ટેલેક્ચુઅલ માણસને સાંજે નશો જોઈએ જ. તે ન પીવે તો સારું છે. એટલે કહું છું કે નશો ન કરો તે સારું છે, તેની સાથે કચરાપટ્ટી, તળેલાં, ભુંજેલાં- ભજિયાંને પેટને ઉકરડો બનાવીને ન ઝાપટો. આ આખી વાત તકમરિયાંની હતી. આજથી જ બધી કચરાપટ્ટી ખાવાનું છોડીને સવારે દ્રાક્ષ અને તકમરિયાં પલાળીને પીવા માંડો. તે વગર પૈસાનું એકંદરે સસ્તુ ઔષધ છે.તકમરિયાં

Order: લેમિએલ્સ

Family: લેમિએસી

Genus: ઓસિમમ (Ocimum)

Species: બેસિલિકમ (O. basilicum)

દ્વિનામી નામ

ઓસિમમ બેસિલિકમ (Ocimum basilicum)

લિનિયસ (L.)

તકમરિયાં (ખોટી પણ જાણીતી જોડણી: તખમરીયા કે તકમરીયા) એ તુલસીના કૂળની જ વનસ્પતિ Ocimum basilicum (pilosum), ડમરો કે ડમરાની જ એક જાત એવી વનસ્પતિના બીજ છે. અંગ્રેજી ભાષામાં તેને બેસિલ/બાસિલ/બાઝિલ (Basil) કહેવામાં આવે છે. ઠંડક આપતાં પીણાં ફાલુદાનો તે અગત્યનો ઘટક છે.

તકમરિયા, આજવલા કે નાસબો;અંગ્રેજી: Basil, Thai basil, sweet basil; વૈજ્ઞાનિક નામ: Ocimum basilicum (pilosum)) એક છોડ સ્વરૂપની વનસ્પતિ છે. તે ૦.૫થી ૨.૫ ફૂટ ઊંચી ઊગે છે અને તુલસીને મળતી આવે છે.એનાં પાન અને ફૂલની મંજરી તુલસી જેવી જ હોય છે. એના ફૂલ ધોળાં અને ફળ કાળા થાય છે. એના આખા છોડ પર ઘણું કરીને સફેદ કે જાંબુડી છાયા લેતા રંગના નીચા નમતા વાળની રૂંવાટી હોય છે. અને એના છોડવામાંથી નીલી ચા (Lemnon-grass)ના છોડવામાંથી નીકળતી સુગંધને મળતી પણ ઘણી તીક્ષ્ણ સુગંધ નીકળતી હોય છે, જેથી એનો છોડવો તરત ઓળખાઈ આવે છે

વ્યુત્પત્તિ

તુખ્મેરિહાન (તુખ્મ-એ-રિહાન) એટલે રિહાનનાં બીજ ઉપરથી તકમરિયાં થયેલ છે.તુખ્મેરીહાન પરથી અપભ્રશ તખમરિયાં અને તખમરિયાંનું અપભ્રંશ થઇને તકમરિયાં શબ્દ બન્યો છે.

ઉપયોગીતા

તકમરિયાં (બીજ)

તકમરિયાં ઝીણાં કાળા રંગનાં દાણા જેવાં હોય છે. તે શીતળ છે અને પ્રમેહ, વીર્યસ્ત્રાવ, મરડો, પ્રદર ને પેશાબની બળતરા ઉપર સાકર નાખીને પાણીમાં અગર દૂધમાં પીવાય છે. પાણીમાં તે ભૂરા રંગનાં થઈ જાય છે અને ઠંડક માટે વપરાય છે. તેની માત્રા એકથી બે તોલા છે. આ છોડ તુલસીના જેવો પણ નાનો થાય છે. તેમાં ફૂલ ધોળાં અને ચાર કાળાં બીજવાળાં થાય છે. છોડવામાંથી લીંબુનાં જેવી સુગંધ નીકળે છે. જાનવરોનો તે ચારો છે. તે જંતુનાશક હોઈ ચેપી રોગચાળા વખતે લોકો તેનો છોડ ઘરમાં બાંધી શકે છે. તેનાં પાનનો રસ જખમ રૂઝવે છે અને માખીનાં ઈંડાંનો નાશ કરે છે. ઝામર ઉપર કાળાં મરી તથા તકમરિયાંનાં પાનની પોટિસ બાંધવાથી ફાયદો થવાનું મનાય છે.

સુકાં તખમરિયાં

આહારનું પોષણ મૂલ્ય પ્રતિ 100 g (3.5 oz)

શક્તિ 2,034 kJ (486 kcal)

કાર્બોદિત પદાર્થો

42.12 g

રેષા 34.4 g

ચરબી 30.74 g

સંતૃપ્ત ચરબી 3.330

મોનોસેચ્યુરેટેડ 2.309

પોલીસેચ્યુરેટેડ 23.665

નત્રલ (પ્રોટીન)

16.54 g

વિટામિનો

વિટામિન એ (7%)54g

થાયામીન (બી૧) (54%)0.62 mg

રીબોફ્લેવીન (બી૨) (14%)0.17 mg

નાયેસીન (બી૩) (59%)8.83 mg

ફૉલેટ (બી૯) (12%)49g

વિટામિન સી (2%)1.6 mg

વિટામિન ઇ (3%)0.5 mg

મિનરલ

કેલ્શિયમ (63%)631 mg

લોહતત્વ (59%)7.72 mg

મેગ્નેશિયમ (94%)335 mg

મેંગેનીઝ (130%)2.723 mg

ફોસ્ફરસ (123%)860 mg

પોટેશિયમ (9%)407 mg

સોડિયમ (1%)16 mg

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ(ખેડૂતોનો હમદર્દ)(પત્રકાર )

૧૮ વર્ષથી આયુર્વેદના અનુભવી

ભૂ.પૂ.બ્રાન્ચ મેનેજર(આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક સહકારી ફાર્મસી

તા.૧૭.૧૦.૨૦૧૯,ગુરુવાર