November 8, 2016

પ્રકૃતિ મિત્ર સંસ્થા 5 લાખ કાપડની થેલીનું કરશે વિતરણ


*****************************************************************
173 સ્વયંસેવકો તૈનાત રહી સેવા આપશે

જૂનાગઢનીલીલી પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકનો કચરો ફેલાતો હોય છે. પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની ઝુંબેશ સાથે પ્રકૃતિમિત્ર સંસ્થાએ પહેલ કરી છે. છેલ્લા બે વર્ષમાં પ્રકૃતિમિત્ર સંસ્થા દ્વારા ત્રણ ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યુ હતું. આગામી તા. 10મીથી રૂપાયતન સંસ્થા ખાતે પ્રકૃતિમિત્રની ટીમનાં 173 જેટલા સ્વયંસેવકો તૈનાત રહેશે. તેમજ પરિક્રમાર્થી પાસેથી પ્લાસ્ટિકની થેલી લઇ વિનામૂલ્યે કાપડની થેલી આપશે. પ્રકૃતિમિત્ર સંસ્થાનાં ચેરપર્સન અને ફાઉન્ડર પ્રો. ડો. ચિરાગબેન ગોસાઇએ જણાવ્યુ હતુ કે, બે માસથી તૈયારીઅો કરવામાં આવી રહી છે. જંગલમાં કચરો થાય તો પશુઓને નુકશાની થાય છે. કાર્યમાં રૂપાયતનનાં હેમંતભાઇ નાણાવટી, રાજુભાઇ દોષી, વિભાકરભાઇ જાની, કે.બી.સંઘવી, જયશ્રીબેન સંઘવીનો સહકાર મળ્યો છે.

પ્રકૃતિ મિત્ર સંસ્થા દ્વારા ત્રીજા વર્ષે પણ પ્લાસ્ટિકની થેલી એકઠી કરવામાં આવશે. [ અહીં બતાવેલ ચિત્ર પ્રતિકાત્મક છે ]
http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-041005-1334769-NOR.html